Thursday, November 19, 2020

હેલ્થ-વેલ્થ :

હેલ્થ-વેલ્થ : મીડ ડે ગુજરાતી

🟪 *હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં શું ખાશો ?* 🟪


શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ *આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.*


શિયાળા માં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ *ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ* પાસેથી.  


🟥 *લીલું લસણ :* 
લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ *લીલું લસણ* ફક્ત શિયાળા માં મળે છે જેના ફાયદા સામાન્ય *લસણ* કરતાં પણ વધુ છે. *એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે.* પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા *ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે,* જેને લીધે *ઇન્ફેક્શન* થી રક્ષણ મળે છે. *એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.*


🟥 *બાજરો :*
આ એક એવું ધાન્ય છે જે *શિયાળા* માં જ ખાવું જોઈએ. *બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે.* એના લોટમાં *લીલું લસણ* નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ.
 *બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે,* જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબો સમય *સુધી ભૂખ લાગતી નથી.* એમાં રહેલા જરૂરી *અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ* ને દૂર કરે છે. જોકે *બાજરા સાથે ઘી ખાવું જ.* જાડા થવાની ચિંતા ન કરો. બાજરો અને ઘી તમને જાડા નથી બનાવતા, પરંતુ જરૂરી પોષણ અને શક્તિ આપે છે. 

 🟥 *લીલી હળદર :*
શિયાળામાં *બે પ્રકારની હળદર મળે છે,* એક *લીલી હળદર* અને બીજી *આંબા હળદર.* બન્ને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર *હેલ્થ માટે ગોલ્ડ જેટલી કીમતી છે.* કોઈ પણ પ્રકારના *ઇન્ફેક્શન* સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. *ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિવાઇરલ અને ઍન્ટિફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ આપે છે.* હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે. આ ઉપરાંત એમાં રહેલા *ઍન્ટિઑક્સિડન્ટ* પણ ઘણા લાભદાયી છે. 

🟥 *મૂળો :*
મૂળો આમ તો મુંબઈમાં ૧૨ મહિનામાંથી ૮ મહિના તો મળે જ છે, પરંતુ ખરેખર એ *શિયાળામાં મળતું કંદમૂળ છે.* એમાં ઘણા *ડાયટરી ફાઇબર્સ* રહેલા છે જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં *કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને  કફ અંદર જામી જાય છે એને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે.* આ સિવાય એમાં *ઝિન્ક અને ફશૅસ્ફરસ* રહેલાં છે, જેને કારણે *સ્કિન-પ્રૉબ્લેમ્સ જેમ કે સૂકી ત્વચા, ઍક્ને કે લાલ ચાઠાં* જેવી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. 


🟥 *આમળાં :*
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે જે અત્યંત ઉપયોગી છે. *વિટામિન ઘ્થી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે.* એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ, પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો *એને આખું જ ખાવું જોઈએ.* *આમળામાં રહેલું વિટામિન C વૉટર અને ઍર-સોલ્યુબલ છે.* એટલે કે જો એ પાણીના સંપર્કમાં આવે તો એ ઊડી જાય છે અથવા હવાના સંપર્કમાં આવે તો પણ ઊડી જાય છે. *સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે. એને મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમનેમ જ ખાઓ.*

 🟥 *લીલાં પાનવાળી શાકભાજી :*

*મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન* જેવી કેટકેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ મુંબઈમાં આમ તો બારેમાસ મળતી હોય છે, પરંતુ જે (•તુ) seasons માં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ-અલગ રીતે કરી શકાય. *રોટલા, પરોઠામાં* નાખીને કે પછી એનું શાક બનાવીને ખાઈ શકાય છે. આ ભાજીઓમાં *આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે.* આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


🟥 *તુવેર-વટાણા-વાલ-લીલા ચણા :*
આ પ્રકારની *બિયાંવાળી શાકભાજી* ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રિજરમાં આખું વર્ષ સાચવે છે. આ બિયાંની ખાસિયત એ છે કે એ *સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે.* આપણે *ઊંધિયા માં* આ બિયાંઓનો પ્રયોગ ખાસ કરીએ છીએ. એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. *શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાંથી જ મળે છે,* પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાં થી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતાં આ બિયાં જુદી-જુદી વાનગીઓમાં વપરાય છે અને *ચોક્કસ ખાવાં જોઈએ.* 

🟥 *ખજૂર :*
ખજૂર આપણે ત્યાં કોઈ પણ સીઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી નહીં અને એમ મનાતું કે *એ ગરમ પડે.* ખજૂર ખાવાનો અને એ ન માનવાનો *સારો સમય શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી.* શિયાળામાં તમે ખજૂર ખાઓ અને ઘી વગર ખાઓ એ બરાબર નથી. *ખજૂર અને ઘીની જોડી છે.* જો ઘીમાં સાંતળીને ભાવતી હોય તો એ રીતે ખાઓ નહીંતર એમનેમ થીણું ઘી લેવું અને એમાં બોળીને ખજૂર ખાઓ. *ખાસ કરીને બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.* 

🟥 *તલ :*
તલ એક એવા પ્રકારનાં બીજ છે જેમાંથી આપણને ઘણી સારી *ક્વૉલિટીની ફૅટ્સ મળે છે.* એમાં ખૂબ સારી કક્ષાનું *પ્રોટીન* પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે જે પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. *તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે.* તલ અને ગોળનું કૉમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે. *તલ કાળા હોય કે લાલ, બન્ને ઘણા જ ફાયદો કરે છે.* તલની ચીકી, તલના લાડુ અને તલની સાની આ શિયાળામાં ચોક્કસ ખાઓ.

🟥 *ગુંદર :*
ગુંદર કે ગુંદને આપણે ત્યાં ઘણો જ *પોષણયુક્ત* માનવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ આખું વર્ષ કરવામાં આવતો નથી. મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે એમાં જ એ નાખવામાં આવે છે. *ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ પણ બને છે. સુખડી, મેથી લાડુ, અડદિયા, તલનો પાક જેવા જુદા-જુદા કેટલાય પાકમાં ગુંદ વપરાય છે.* એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. 

🟥 *અડદિયા :*
જાતજાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. ખાસ કરીને અડદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અડદિયા તેમને આપો એટલા ખવાઈ જાય. *આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ્સ અને વસાણાં વાપરીએ છીએ એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે. અડદિયામાં કાળી અને ધોળી મૂસળી, ગોખરું, કૌચા, અક્કલગરો, પીપરીમૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે.* લોકો આજકાલ હાઈ કૅલરીના નામે એ ખાતા નથી, પરંતુ એ એક ભૂલ છે. *જે લોકો વેઇટલૉસ પણ કરતા હોય તેમણે પણ આ પાક ખાઈ શકાય.* જરૂરી છે કે તમે સમજો કે એ કેટલું અને ક્યારે ખવાય. શિયાળામાં સવારે એક પાકનું બટકું અને એક કપ દૂધ એ બેસ્ટ નાસ્તો ગણાશે. પાકનાં જમણ ન હોય. *પણ એ દરેક ઉંમરની વ્યક્તિએ ખાવા જ જોઈએ.*
😉💕🌹🙏🏻

No comments:

Post a Comment

tell me your islamic-related information you want .I am try give you